વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 મે એ કરશે મન કી બાત, જનતા પાસે માંગ્યા સૂચનો

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાની 31 તારીખે દેશ સાથે મન કી બાત કરશે. પોતાના રેડિયો કાર્યક્રમમાં ચર્ચા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા પાસે સૂચનો માગ્યા છે.

પીએમ મોદીએ સોમવારે સવારે આ વિશે ટ્વીટ કરી અને જનતા પાસે સૂચનો આપવા અપીલ કરી. વડાપ્રધાને પોતાની ટ્વીટમાં લખ્યુ, 31 મે એ થનારી મન કી બાત કાર્યક્રમ માટે હુ આપના સૂચનોની રાહ જોઈશ.

તે માટે 1800-11-7800 પર મેસેજ રેકોર્ડ કરીને મોકલી શકાય છે. સાથે જ નમો એપ અથવા myGOV પર લખી શકાય છે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસ મહાસંકટની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ ત્રીજી મન કી બાત હશે જે તેઓ લોકડાઉનમાં જ સંબોધિત કરશે. અગાઉ પીએમ મોદી માર્ચ, એપ્રિલ મહિનાના અંતમાં દેશાવાસીઓ સાથે વાત કરી ચૂક્યા છે.

દેશમાં લૉકડાઉન 4.0નું એલાન થઈ ચૂક્યુ છે, જે 31 મે સુધી લાગુ રહેશે. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે દિવસે પોતાના મન કી બાતમાં કંઈક કહી શકે છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ લૉકડાઉન 1, લૉકડાઉન 2નું એલાન દેશને સંબોધન કરીને કર્યુ હતુ. જે બાદ લૉકડાઉન 3, 4 નુ એલાન ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યુ .

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.