વડાપ્રધાન મોદીએ નમામિ ગંગે મિશન અંતર્ગત 6 પરિયોજનાઓનું કર્યુ લોકાર્પણ

ગંગા સફાઈ અભિયાન મોદી સરકાર માટે શરૂઆતથી જ મહત્વનો રહ્યો છે. આજે આ કડીમાં નવો આયામ જોડાયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે નમામિ ગંગે મિશન હેઠળ ઉત્તરાખંડમાં છ મેગા પરિયોજનાઓનું વીડિયો કોન્ફ્રસિંગથી ઉદ્ઘાટન કર્યુ. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત સચિવાલય સાથે જોડાયેલા છે.

વડાપ્રધાન મોદીએ જે છ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યુ છે તેમાં હરિદ્વાર જિલ્લાના જગજીતપુરમાં 68 એમએલડી એસટીપી, 27 એમએલડીનું અપગ્રેડેશન એસટીપી અને સરાયમાં 18 એમએલડીનું એસટીપી સામેલ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.