વધુ લોકડાઉન માટે તૈયાર રહો,એકદમ આઝાદી નહીં મળે !હજુ કઠોર નિર્ણયો લેવા પડે તેવો સમય -મોદીની સ્પષ્ટતા

કોરોના વાઇરસની મહામારી વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૪મી માર્ચે દેશભરમાં ૨૧ દિવસ માટે લોકડાઉન જાહેર કર્યું હતું. જોકે આ લોકડાઉન ૨૧ દિવસ બાદ ૧૪મી એપ્રીલે હટશે કે નહીં તેની અટકળો વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એવી સ્પષ્ટતા કરી દીધી છે કે હાલના સંજોગોમાં ૧૪મીએ લોકડાઉનને હટાવવું શક્ય નથી અને હજુ પણ લોકડાઉનનો સમયગાળો લંબાવવામાં આવી શકે છે. મોદીએ સાથે એમ પણ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં વધુ કઠોર નિર્ણયો લેવા પડે તેમ છે.

વિપક્ષના નેતાઓની સાથે વીડિયો કોન્ફરન્સથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક યોજી હતી જેમાં તેમણે એવા સ્પષ્ટ સંકેતો આપી દીધા છે કે ૧૪મી તારીખે લોકડાઉનને હટાવવામાં નહીં આવે. સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે હાલ દેશમાં સામાજિક ઇમર્જન્સી જેવી સિૃથતિ છે, અનેક રાજ્યોના મુખ્ય પ્રધાનોએ પણ મને લોકડાઉનનો સમય વધારવા માટે રજુઆત કરી છે. અમારા માટે લોકોનો જીવ બચાવવો વધુ મહત્વનો છે અન ે વર્તમાન પરિસિૃથતિને જોતા એમ લાગી રહ્યું છે કે લોકડાઉનને ૧૪મી તારીખે હટાવી લેવું શક્ય નથી.

મોદીએ એમ પણ કહ્યું હતું કે આગામી દિવસોમાં હું ફરી એક વખત મુખ્ય પ્રધાનોની સાથે વાતચીત કરીશ. જોકે અત્યાર સુધીના મુખ્ય પ્રધાનોના જવાબ અને ભલામણ પરથી લાગી રહ્યું છે કે આગામી ૧૪મી તારીખે લોકડાઉન હટાવવંુ એટલુ સરળ અને યોગ્ય પણ નથી. હવે એવી શક્યતાઓ છે કે આગામી ૧૧મી તારીખે લોકડાઉન હટાવવું કે લંબાવવું તેનો અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે પણ હાલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહી દીધુ છે કે લોકડાઉન ૧૪મીએ નહીં હટાવવામાં આવે, જોકે કેટલા દિવસ સુધી તેને લંબાવવામાં આવી શકે છે તે નિર્ણય પણ ૧૧મી તારીખે લેવામાં આવે તેવી શક્યતાઓ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.