વડોદરામાં પૂરપાટ જતી કારે મચાવ્યો કેર, રીક્ષાને ટક્કર મારતાં 2નાં ઘટનાસ્થળે જ મોત

વડોદરામાં પૂરપાટ ઝડપે જતી કારે રીક્ષાને ધડાકાભેર ટક્કર મારતાં બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો આ મામલે પોલીસે 28 વર્ષીય કારચાલક કાન્સિક શાહની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની વિગતમાં વાત કરીએ તો, વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં ગઇકાલે મોડી રાતે 11.30 કલાકે નવાયાર્ડ બાજુથી પૂરપાટ ઝડપે કાર આવી રહી હતી. તે દરમિયાન સામેની બાજુથી રીક્ષા આવી રહી હતી. પૂરપાટ ઝડપે આવી રહેલી કારને જોઇ જતા રીક્ષાચાલકે બ્રેક મારી હતી. જેથી રીક્ષા પલટી ખાઇ ગઇ હતી. અને કારે રિક્ષાને ટક્કર મારી હતી. જેમાં રીક્ષા ચાલક સહિત બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અને રીક્ષામાં બેઠેલા ધર્મવીર લાલસિંહ અને સુરજીત સરદારસિંહ નટવરીયા ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ ફતેગંજ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને આસપાસના લોકોના ટોળા પણ એકત્ર થઇ ગયા હતા. બંનેના મૃતદેહોને પોલીસે પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા હતા. અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તો બંને ઇજાગ્રસ્તો મકરપુરા વિસ્તારના જશોદાનગરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે અને બંને પાસેથી ગાંજો અને ચિલમ મળી આવી આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.