વિશ્વની અગ્રણી કંપનીઓએ તેમના મેન્યુફેક્ચરિંગ યુનિટ ભારતમાં ખસેડવાનું શરૂ કરતા ચીન અકળાયું

પશ્ચિમી મીડિયાને દલાલ કહ્યા બાદ, ભારત ચીનનું સ્થાન ન લઇ શકે તેવો દાવો પણ કર્યો

  • ભારતમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા માટે ચીનમાંથી બહાર નિકળી રહેલી અનેક કંપનીઓની ઘોષણાથી ડ્રેગન ભુંરાટ થયો છે. ચીનના સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સે એક લેખમાં કહ્યું છે કે લોકડાઉનથી અર્થવ્યવસ્થાને અસર થવા છતાં ભારત મોટું સ્વપ્ન જોઇ રહ્યું છે, પરંતુ તે ચીનનો વિકલ્પ નહીં બની શકે. તેણે ચીનની સાથે ભારતની તુલના કરવા માટે પશ્ચિમી મીડિયાને દલાલ પણ કહ્યું.

નોંધપાત્ર બાબત એ છે કે, જર્મનીની જૂતાની કંપનીએ તેના મેન્યુફેક્ચરિંગ યુનિટને ચીનથી આગ્રામાં સ્થળાંતર કરવાની વાત કરી છે, જ્યારે ઓપ્પો અને એપલ જેવી મોબાઇલ કંપનીઓએ પણ ભારત શિફ્ટ થવાનું કહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકા સાથેના ટ્રેડ વોર અને હવે કોરોના વાયરસના રોગચાળાને કારણે સપ્લાય ચેનને અસર થઈ રહી હોવાથી લગભગ એક હજાર કંપનીઓ ચીન છોડવા માંગે છે.

ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે, “મીડિયા અહેવાલો અનુસાર, ભારતના ઉત્તરી રાજ્ય ઉત્તર પ્રદેશએ ચીનથી મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ સ્થળાંતર કરવા માંગતી કંપનીઓને આકર્ષવા માટે આર્થિક ટાસ્ક ફોર્સની રચના કરી છે. જો કે, આવા પ્રયત્નો છતાં આશા છે કે તે એક ભ્રમણા છે કે કોરોના રોગચાળાને કારણે ચીનના અર્થતંત્ર પર જે દબાણ છે તેનાથી ભારત વિશ્વ માટે એક નવું  મેન્યુફેક્ચરિંગ હબ બનશે. ‘

ભારતને ચીનનો વિકલ્પ માનનારાઓને કટ્ટરપંથી કહેતા મુખપત્રએ વધુમાં લખ્યું છે કે કટ્ટરવાદીઓ કહી રહ્યા છે કે ભારત ચીનનું સ્થાન લેવા માટે યોગ્ય માર્ગ પર છે તે રાષ્ટ્રવાદી બડાઈ છે. એટલું જ નહીં ચીને પણ આ મુદ્દાને સરહદ વિવાદ સાથે જોડતાં કહ્યું કે આર્થિક મુદ્દાઓને કારણે આ મિથ્યાભિમાન લશ્કરી સ્તરે પહોંચી ગયું છે. જેની સાથે તેઓએ ભૂલથી માની લીધું છે કે તેઓ હવે સરહદના વિવાદોથી ચીનનો સામનો કરી શકે છે. આ વિચારસરણી જોખમી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.