વિશ્વમાં કોરોનાથી 33,000થી વધુનાં મોત : યુએસમાં મૃત્યુઆંક 1 લાખને પાર જવાની શંકા

વિશ્વમાં કોરોના વાઈરસથી મરનારા લોકોની સંખ્યા ૩૩,૦૦૦ને પાર થઈ ગઈ છે અને કુલ કેસોની સંખ્યા સાત લાખની નજીક પહોંચી ગઈ છે. ડિસેમ્બરમાં ચીનમાં કોરોના વાઈરસના પહેલી વખત સમાચાર આવ્યા બાદથી અત્યાર સુધીમાં ૧૮૩ દેશોમાં ૬,૯૧,૪૯૪ લોકો કોરોના વાઈરસની ઝપેટમાં આવી ગયા છે. અમેરિકામાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ૨,૨૩૭થી વધુ થઈ ગયો છે જ્યારે કુલ કેસની સંખ્યા ૧,૨૫,૦૦૦ને પાર થઈ ગઈ છે. અમેરિકામાં સ્વાસ્થ્ય નિષ્ણાતોએ આશંકા વ્યક્ત કરી છે કે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ૧,૦૦,૦૦૦ને પાર જઈ શકે છે અને કરોડો લોકો કોરોનાની ઝપટમાં આવી શકે છે. બીજીબાજુ યુરોપમાં કોરોનાથી સંક્રમિત સંખ્યા ૩,૬૩,૭૬૬થી વધુ થઈ ગઈ છે.

વિશ્વમાં કોરોનાના વધતા કેસોની વચ્ચે રાહતની વાત એ છે કે તેમાંથી ૧,૪૭,૬૦૦ લોકો સાજા થયા છે. જોકે, માનવામાં આવે છે કે કોરોનાથી સંક્રમિત લોકોની વાસ્તવિક સંખ્યા હજી ઘણી મોટી છે, કારણ કે અનેક દેશોમાં માત્ર એ જ દર્દીઓની તપાસ કરાઈ રહી છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી છે. નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ એલર્જી એન્ડ ઈન્ફેક્શન્સ ડીસીસના ડિરેક્ટર ડો. એન્થોની ફૌસીએ જણાવ્યું હતું કે હાલમં હું જે જોઈ રહ્યો છું તે મુજબ અમેરિકામાં ૧,૦૦,૦૦૦થી ૨,૦૦,૦૦૦ લોકોનાં મોત થઈ શકે છે. દેશમાં કોરોનાના કરોડો કેસો નોંધાઈ શકે છે. જોકે, વ્હાઈટ હાઉસમાં કોરોના વાઈરસ ટાસ્ક ફોર્સના વડા ડો. ડેબોરા બિર્ક્સે જણાવ્યું હતું કે દેશોમાં કોરોનાના કેસોનું પ્રમાણ ઘટયું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.