અમદાવાદના નારોલમાં ભારે વરસાદને લીધે લોકોના ઘરમાં ઘુસ્યા પાણી…

અમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે અને જેમાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તેમાં મણિનગર, નારોલ, ઈસનપુર, ખોખરા, હાટકેશ્વર વિસ્તારમાં પણ પાણી ભરાયા છે.તેમજ શહેરમાં રાતથી અત્યાર સુધી 3 ઈંચ વરસાદ થયો છે. તેથી વાસણા બેરેજના 4 દરવાજા 3 ફૂટ ખોલાયા છે.

છેલ્લાં કેટલાંક દિવસથી વિરામ લીધા પછી અમદાવાદમાં શનિવારે સાંજથી વીજળીના કડાકા અને વાદળોના ગડગડાટ સાથે વરસેલા મૂશળધાર વરસાદે સમગ્ર શહેરને ઘમરોળી નાંખ્યું હતું જેમાં મણિનગરમાં ગોરના કૂવા પાસે વરસાદી પાણી ભરાવાને કારણે વીજ કરંટ લાગવાથી એક મોટર સાયકલ સવારનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદ શહેરના પૂર્વ ઝોનમાં આવેલા ચકુડીયા, વટવા, મણિનગર અને નિકોલમાં ફક્ત 4 કલાકમાં સવા 3 ઈંચ વરસાદ ખાબકવાને કારણે ઠેર-ઠેર પાણી ભરાવાને કારણે પૂર્વના રહીશો, વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. શહેરમાં શનિવારે સાંજે ફક્ત 4 કલાકમાં સરેરાશ દોઢ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો અને ફક્ત 45 મિનિટમાં ધોધમાર વરસાદ તૂટી પડવાને કારણે હાટકેશ્વર વિસ્તાર બેટમાં ફેરવાઈ હતો અને CTM સુધી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.