જેનો ડર હતો એ જ થયું! મંત્રીપદ નહીં મળતા ભાજપના મોટા નેતા નારાજ, કરી દીધી મોટી જાહેરાત

ભૂપેન્દ્ર પટેલનાં મંત્રીમંડળે શપથ લીધાંને ૨૪ કલાક પુરાં થયા છે ત્યાં તો નારાજગીનાં સૂર સામે આવવાં લાગ્યાં છે. ભાજપનાં ધારાસભ્યે નારાજ થઇને કરી દીધી મોટી જાહેરાત..

મંત્રીમંડળમાં સ્થાન ન મળતાં ભાજપનાં ઉમરેઠનાં ધારાસભ્ય ગોવિંદ પરમાર નારાજ થયાં છે. વિજય રુપાણીએ એકાએક રાજીનામું ધરી દેતાં ગુજરાતનાં રાજકારણમાં ભૂકંપ જોવા મળ્યો હતો.

ગોવિંદ પરમાર જણાવ્યું કે, તેઓ ભાજપનાં આગામી કોઈપણ કાયઁક્રમોમાં ભાગ નહીં લે. આ સાથે જ તેમણે સરકારી કાર્યક્રમોમાં કે પછી મુખ્યમંત્રીનાં પણ કોઈ પણ કાયઁક્રમોમાં ભાગ નહીઓ લેવાની જાહેરાત કરી હતી.

હવે ઉમરેઠ ભાજપનાં ધારાસભ્ય નારાજ થતાં ગુજરાતનાં રાજકારણમાં રાજકીય ભૂકંપનાં ભણકારા વાગી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.