શું મોદી સરકાર કોરોના વાયરસ સારવાર માટે યુવાનોને આપે છે સહાય.? જાણો સરકારે શું ખુલાસો કર્યો..

આજકાલ સોશિયલ મીડિયામાં એક સમાચાર ઝડપથી વાયરલ થઈ રહયો છે. વાયરલ સામાચારમાં દાવો કરવામાં આવી રહયો છે કે કોરોના વાયરસની સારવાર માટે સરકાર યુવાનોને પ્રધાનમંત્રી રામબાણ સુરક્ષા યોજના હેઠળ ૪૦૦૦ રૂપિયા આથિઁક સહાય આપી રહી છે.

હવે આ દાવો સાચો છે કે ખોટો તે અંગે સરકાર દ્નારા માહિતી આપવામાં આવી છે. પીઆઈબી ફેકટ ચેકે આ દાવાની બનાવટી ગણાવ્યો છે. કેન્દ્ર સરકાર દ્નારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી.

વાયરલ મેસેજ કરવામાં આવી રહયો છે કે કોરોના વાયરસનિ મફત સારવાર માટે ૪૦૦૦ રુપિયા સહાય રકમ મળશે.નોંધણી કરવા અને આપનાં ફોર્મ ભરવા માટે આપેલ લિંક પર કિલક કરો. તમે આપેલ લિંક પરથી પણ અરજી મેળવી શકો છો.

PIB ફેક્ટ ચેકે શું કહ્યું?                                                                                                       સરકારી સંસ્થા પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) એ આ મેસેજની સત્યતાની તપાસ કરી છે. હકીકતમાં તપાસમાં એવું કહેવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના (પ્રધાનમંત્રી રામબાણ સુરક્ષા યોજના) ચલાવવામાં આવી રહી નથી. આવી નકલી વેબસાઇટ્સ પર તમારી વ્યક્તિગત માહિતી શેર કરશો નહીં.

સરકારી સંસ્થા પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) એ આ મેસેજની સત્યતાની તપાસ કરી છે. હકીકતમાં તપાસમાં એવું કહેવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના (પ્રધાનમંત્રી રામબાણ સુરક્ષા યોજના) ચલાવવામાં આવી રહી નથી. આવી નકલી વેબસાઇટ્સ પર તમારી વ્યક્તિગત માહિતી શેર કરશો નહીં.

જો તમે ઈચ્છો છો, તો તમે +91 8799711259 પર WhatsApp કરી શકો છો અથવા socialmedia@pib.gov.in પર ઇમેઇલ કરી શકો છો. આ ઉપરાંત, તમે ટ્વિટર પરIPIBFactCheck અથવા ઇન્સ્ટાગ્રામ પર/PIBFactCheck અથવા Facebook પર /PIBFactCheck પર સંપર્ક કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.