WI સામેની સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, ધોનીની ટીમમાં વાપસી નહી

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ T20 અને વન-ડે સીરીઝ માટે ગુરુવારે સિલેક્ટરોએ ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. પરંતુ બંન્ને સીરીઝ માટે પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને સ્થાન મળ્યું નથી. જ્યારે રોહિત શર્માને બંન્ને સીરીઝમાં ટીમમાં સામેલ કરાયો છે. આ પહેલા તેવી અટકળો હતી કે તેમને આરામ આપવામાં આવશે.
બાંગ્લાદેશ બાદ ટીમ ઈન્ડિયા વધું એક ઘરેલું સીરીઝ માટે તૈયાર છે. હવે ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે બે સીરીઝ રમવાની છે. વેસ્ટ ઈન્ડિઝનો ભારત પ્રવાસ 6 ડિસેમ્બરે શરૂ થશે. સિલેક્શન કમિટિએ ત્રણ મેચોની ટી20 અને વન-ડે સીરીઝ માટે ભારતીય ટીમની ગુરુવારે કોલકત્તામાં જાહેરાત કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.