ગુજરાતનાં ખેડૂતોની દિવાળી સુધરશે? બુધવારે ભૂપેન્દ્ર સરકાર જાહેરાત કરી શકે છે..

અતિવૃષ્ટિમાં થયેલા નુકસાનને(DAMAGE) લઇને ખેડૂતો(FARMERS) માટે સારા સમાચાર આવી રહ્યા છે. બુધવારે મળનારી ગુજરાત સરકારની(GUJARAT GOVERNMENT) કેબિનેટ(CABINET) બેઠકમાં રાહત પેકેજ(RELIEF PAKAGE) અંગે નિર્ણય લેવાઈ શકે તેવા પૂરેપૂરા એંધાણ વર્તાઇ રહ્યા છે. સૌરાષ્ટ્ર જિલ્લાના અતિવૃષ્ટિથી વ્યાપક નુકસાન થયા બાદ સીએમ(CM) ભૂપેન્દ્ર પટેલે(BHUPENDRA PATEL) સહાય ચૂકવવા માટે તાબડતોડ સર્વે કરવાની કામગીરી હાથ ધરાઇ હતી.

સર્વેનું કામ પૂર્ણ થયા બાદ આગામી બુધવારે સરકાર તરફથી ખેડૂતો માટે મોટી જાહેરાત થઈ શકે છે.

કૃષિમંત્રી રાધવજી પટેલ શું બોલ્યા.?

સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારનું ખેડુતલક્ષી પ્રથમ રાહત પેકેજ જાહેર થવા જઈ રહ્યું છે. ખુશી મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે , મુખ્યમંત્રીની વિચારણા હેઠળ નો રાહત પેકેજનો પ્રશ્ન પ્રથમ હરોળમાં છે. દિવાળી પહેલા રકમ મળી જાય તેવું મુખ્યમંત્રીની વિચારણા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.