ન્યૂ મણિનગરમાં “ખાડા”નો વિકાસ થતાં વાહનચાલકોને અકસ્માતનો ભય…

ન્યુ મણીનગર થી રામોલ ગામ તરફ જવાનો માર્ગ બિસમાર બનતા નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અયોધ્યા નગર સોસાયટી થી લઈને ન્યૂ મણિનગર શ્રી નંદ સોસાયટી તેમજ રામોલ ગામ તરફ જતો રસ્તો એકદમ જર્જરિત હાલતમાં હોવાથી વાહનચાલકોને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે.

ન્યુ મણીનગર વિસ્તાર જ્યાં સુધી અસ્તિત્વમાં આવ્યો છે. ત્યારથી રહી તો રોડ રસ્તા પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ મેળવવા વલખાં મારી રહ્યા છે.

પાયાની સુવિધાઓ પુરી પાડવા તંત્રનો ઉદાસીન વલણ જોવા મળી રહ્યું. રોડ રસ્તા એટલી હદ સુધી બિસ્માર બન્યા છે. કે વાહન ચાલકને સામાન્ય ચૂક પણ અકસ્માત સર્જી ઈજા પહોંચાડી શકે છે.

વરસાદી માહોલમાં આવા રસ્તા પરથી પસાર થવામાં વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. બાળકોને શાળાએ જવામાં પણ સ્લીપ થઈ જવાની ભીતિ સતાવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.