૨૫ વર્ષીય અભિનેત્રીએ કરી આત્મહત્યા ; ધરમાંથી મળી આવી ૪ પાનાની…

ટીવી અભિનેત્રી સૌજન્યા એ બેંગ્લોર ની નજીક પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી છે.

સોજન્યા કન્નડ ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે .સૌજન્યાના ઘરેથી ચાર પાનાની સુસાઇડ નોટ પણ મળી આવી.ઈંગ્લિશ અને કન્નડમાં લખેલી આ સૂસાઈડ નોટ લખ્યું છે કે ખરાબ સ્વાસ્થ્ય અને ઈન્ડસ્ટ્રીઝમાં વર્તમાન માહોલના કારણે તે ઘણા દિવસોથી પરેશાન હતી.

સૌજન્યાએ સુસાઇડ નોટમાં લખ્યું છે કે .માય ડિયર ફેમિલી હું આજે પગલું ભરવા જઈ રહી છું તેના માટે હું માફી માગું છું. અભિનેત્રીએ ૨૭ સપ્ટેમ્બર એક સુસાઈડ નોટ લખી હતી. જેમાં તેણે એ વાતનો ઉલ્લેખ કર્યો કે, તેમ માનસિક સ્વાસ્થ્ય ઠીક હતું અને તે ડિપ્રેશનમાં થી પસાર થઇ રહી હતી. સુસાઇડ નોટમાં સૌજન્યાએ ઘણી બાબતમાં પોતાના માતાપિતા પાસે માફી માંગી છે.

સૌજન્યા કોડાગુ જિલ્લાનાં કુશલ નગરની નિવાસી હતી. તે કામ માટે બેંગલુરુ શિફટ થઈ હતી. સૌજન્યનાં નિધનના સમાચારથી કન્નડ ટીવી ઈન્ડસ્ટ્રીઝ ગમમાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.