મચ્છરોથી ત્રાસી ગયાં છો આપ… તો આજે કરો આ ઉપાય..

મચ્છરોને દૂર ભગાડવા માટે અનેક પ્રકારની દવાઓ બજારમાં ઉપલબ્ધ છે. પણ તમે ઈચ્છો તો બજારમાંથી વસ્તુઓ લાવી પૈસા ખર્ચવાની જગ્યાએ ધરમાં હાજર અને બિલકુલ કુદરતી વસ્તુઓથી પણ મચ્છરોનો ખાત્મો બોલાવી શકો છો.

કપૂર..
વોશરુમ, કિચન અથવા કબાટમાં રાખેલાં કપૂરની ગંધ મચ્છરોને ધરની બહાર મોકલી શકો છો. ધરની અંદર બારીમાં કે પછી કોઈ પણ ખૂણામાં કયાંય પણ એક નાના વાસણમાં કપૂર રાખી દો.

લસણ..                                                                                                                    શાકમાં જમવાનો સ્વાદ વધારનારું લસણ પણ એક કુદરતી સ્પ્રેની જેમ તમારા કામમાં આવી શકે છે. એેટલે લસણને પાણીમાં ઉકાળો. પછી આ પાણીને કોઈ બોટલમાં ભરી સ્પ્રેની જેમ ધરનાં ખૂણામાં છાંટો.

ફૂદીનાનું તેલ:
ફૂદીનાની સુવાસથી મચ્છરોને દૂર ભગાડી શકાય છે. આ માટે હંમેશા તમારી આસપાસ ફૂદીનાના તેલની એક બોટલ રાખી શકો છો. મચ્છરોથી મુક્તિ મેળવવા માટે તમારા ઘરની બાલ્કનીમાં એક ફૂદીનાનો છોડ ચોક્કસથી ઉગાડો.

અસ્વીકરણ: આ સાઇટ પરની માહિતી વ્યાવસાયિક તબીબી સલાહ, નિદાન અથવા સારવાર માટે અવેજી તરીકેનો હેતુ અથવા ગર્ભિત નથી. આ વેબ સાઇટ દ્વારા સમાવિષ્ટ અથવા ઉપલબ્ધ ટેક્સ્ટ, ગ્રાફિક્સ, છબીઓ અને માહિતી સહિતની તમામ સામગ્રી માત્ર સામાન્ય માહિતીના હેતુઓ માટે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.